ગુરુવાર, 6 જુલાઈ, 2017


ગુજરાતમાં આવેલું છે વિશ્વનું બીજા નંબરનું ડાયનાસોર પાર્ક,

બાલાસિનોરથી 17 કિ.મી દૂર આવેલ રૈયોલી ડાયનાસોર પાર્ક

બાલાસિનોર: મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલીમાં આવેલા વિશ્વના બીજા નંબરના ડાયનાસોર પાર્કમાં પીવાના પાણી, ચ્હા-નાસ્તો કે બેઠકોની પ્રાથમિક વ્યવસ્થાના અભાવે  પર્યટકો ભારે નારાજગી સાથે ગુજરાતની પ્રતિભાને નુકશાન કરતી ખરાબ છાપ લઈને જાય છે.

આ પાર્ક વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે

બાલાસિનોર તાલુકા મથકથી 17 કિ.મી દૂર આવેલ રૈયોલીમાં આજથી 25 વર્ષ પૂર્વે સને 1981માં ડાયનાસોરના અવશેષો મળી આવ્યા હતા . આ વિસ્તારમાં ડાયનાસોર ફોસીલ પાર્ક તરીકે વિકસાવવામાં આવ્યું હતું અને આ પાર્ક વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. સને 1981 થી સને 1999 સુધી સંશોધનો અને રીસર્ચ થયા બાદ કેન્દ્ર-રાજ્ય સરકાર હરકતમાં આવી હતી અને આજે 32 હેક્ટરમાં ફેન્સીંગ તારની વાડ સાથે અને ડાયનાસોરની બે મોટી પ્રતિકૃતિ સાથે ડાયનાસોરને કુદરતી ફોસીલ પાર્ક ટુરીઝમના વિકાસની રાહ જોવે છે.
 
રૈયોલીમાં 75 ટકા ફોસીલ મળ્યા છે

ફોસીલ બહાર કાઢી કેલેટન બનાવ્યુ હતું. જેમાં  કેનેડા, અમેરિકા, ટાન્ઝાનીયા, શાંહજહા વગેરે સ્થળોએથી ડાયનાસોરના ફોસીલ મળ્યા હતા. જયારે અન્ય સ્થળે માત્ર 45 ટકા ફોસીલ મળ્યા છે. જ્યારે રૈયોલીમાં 75 ટકા ફોસીલ મળ્યા છે. વિશ્વમાં પ્રથમ ગણાતો ફોસીલ અને કેનેડામાં હિસ્ટ્રીપાર્ક છે અને બીજા નંબરે ગુજરાત રાજ્યનાં રૈયોલીમાં આવેલ ફોસીલ પાર્ક છે. 72 હેક્ટરના વિશાળ પાર્કની દેખરેખ દિવસે માત્ર 2 અને રાત્રીના 2 જીઆરડી જવાનો કરે છે.

#Raiyoli_Dinisura_fassil_park_Balasinor
#JaY_Mataji

Kanu prajapati

સોમવાર, 5 જૂન, 2017


જે સમાજ ના યુવાનો સમાજ માટે સમર્પિત હશે, તે સમાજ જરૂર પ્રગતિ કરશે..
   આજનો ફેશનેબલ જમાનામાં જીવતો ...
             જો યુવાન જાગ્રુત હશેને... તો સમાજ ના રીત રિવાજ તેમજ અનેક  આમૂલ પરિવર્તન શક્ય છે.....
       ........કનુભાઇ પ્રજાપતિ...
મારા યુવાન ભાઇઓ અને વડીલોને નમસ્કાર....

પરમગુરૂ
શ્રીમત્ કરૂણા સાગર મહારાજ...
પરમ

શનિવાર, 6 ફેબ્રુઆરી, 2016

દાન

જાતને ઘસીને જે મળ્યું તેમાં કંઇ સ્વાદ છે,
રાતની રાતના જે કર્યા છે ઉજાગરા તે,
વાતને વિચારતાં સવાર થઇ ગઇ 'તી,
ક્યાંક એ વિચારમાં ને વિચારતાં જે :
હૈયું ભરાઇ જાતું ને એમાંથી જ કંઇક.

 શું આ જગમાં બધાને સગવડ છે,
 આપણે તો શું કરી શકીએ તોયે,
 છે એમાંથી થોડુંક હળવું કરીએ ને,
 બીજું કંઇ નહિ પણ આપણા ભાઇને,
 કે   બહેન ને મદદ કરતા થઇએ.....

  દાનની વાતો કરીને તકતીમાં નામ જોશે,
  અહીં ના કોઇ નામ જોવા મળશે તમને,
  બાળકોને પ્રેરણા થકી કંઇક કરીએ જો,
   જીવન કદાચ એનું બદલાઇ જશે તો,
   આશિર્વાદ એના લઇએ તો ઘણું થઇ જશે.....